સામગ્રી :-
૩ કપ ચોખા
૧ કપ અડદ દાળ
૧ ટી સ્પૂન મરી પાવડર
૧ ચમચો તેલ
મીઠું સ્વાદ અનુસાર
૧ કપ અડદ દાળ
૧ ટી સ્પૂન મરી પાવડર
૧ ચમચો તેલ
મીઠું સ્વાદ અનુસાર
રીત :-
ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ થોડું કરકરું ક્રશ કરો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.
આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઇદડા પોચા બનશે ત્યારબાદ ખીરાને થાળીમાં પાથરીને ઉપરથી મરી પાવડર છાંટી લો. હવે તેને ચડવા મૂકી દો અને તૈયાર થાય એટલે મોટા ટૂકડા પાડી ગરમ ગરમ પીરસો.
સ્વાદ માટે તેની ઉપર અહીં લાલ મરચાની ગળી ચટણી લગાવી છે…. સુરતમાં ઈદડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેની ઉપર માખણ, ચીઝ અને સેવ નાખીને ખવાય છે… જો કે લીલા મરચાં અને રાઈથી વઘારીને ઉપર કોથમીર છાંટીને પણ ટ્રાય કરી જોજો…
સ્વાદ ઉપરાંત તેનું પોષણમૂલ્ય પણ એટલું જ મહત્વનું છે, સવારના કે સાંજના નાસ્તા માટે ઈદડા એ સૌથી સહેલી અને પૌષ્ટિક વાનગી કહી શકાય
No comments:
Post a Comment